સંસ્થાનો ઇતિહાસ

overview-image
graduets-svg

325+

શિક્ષકો

અમારી સાથે જોડાઓ
શિક્ષણના આ મહાયજ્ઞમાં ભાગીદાર બનો

દેશની આઝાદીના સાતેક વર્ષ બાદ એટલે કે સન 1954 માં આપણો વિસ્તાર પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિચારધારામાં તાલ મિલાવે તે માટે 'સેદ્રાસણ' મુકામે મહાદેવના મંદિરમાં આંજણા સમાજની સભામાં આ સંસ્થાનું વિચારબીજ રોપાયું.

જેનો હેતુ જિલ્લાભરના બાળકો પાલનપુરમાં રહી અભ્યાસ કરી શકે તે માટે બોર્ડિંગ (છાત્રાલય) સુવિધા આપવાનો હતો. જેના પરિપાકરૂપે 'બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ' પાલનપુર સને 1955 માં નામાભિધાન કરી રજીસ્ટ્રેશન થયું.

overview-image

પ્રમુખશ્રી નો સંદેશ

pramukh-message-image

"શિક્ષણ એ સર્વોત્તમ દાન છે,
જે માનવ જીવનને નવસર્જન અને વિકાસ તરફ દોરી જાય છે."

શ્રી રામજીભાઈ વિ પટેલ પ્રમુખશ્રી

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અભાવગ્રસ્ત વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે હેતુથી જિલ્લા મથકે નિવાસ સાથે શિક્ષણની તકો પૂરી પાડવા માટે આજથી સાત દાયકા પહેલા શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ ની સ્થાપના થઈ. જેના બીજમાંથી નવસર્જન વિકાસના કલેવર ધારણ કરી દિલેર દાતાઓની દેણગી અને શુભેચ્છકોની સદભાવના યુક્ત હુંફથી 'આદર્શ વિદ્યાસંકુલ' અને 'લાલાવાડા કેમ્પસ' પાલનપુર શહેરમાં નવતર જ્ઞાનરૂપી પ્રકાશ રેલાવી રહ્યું છે.

કેળવણી મંડળ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પૂરું પાડી રહી છે. ઉચ્ચ શિક્ષણમાં પણ આર્ટસ, કોમર્સ, સાયન્સ અને નર્સિંગ ના અભ્યાસક્રમો ચલાવી રહી છે. સાથે ઉત્તર ગુજરાતની એકમાત્ર જીટીયુ સાથે જોડાણ ધરાવતી બી.સી.એ કોલેજ પણ કાર્યરત છે.

આજ દિન સુધી આદર્શ વિદ્યાસંકુલ અને લાલાવાડા કેમ્પસની વિવિધ શાખાઓ અને છાત્રાલયો ના વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરી પ્રેરણાધોતક બની રહ્યા છે. શિક્ષણ યુક્ત નવસર્જનના અનેક સ્વપ્નો લઈને આપ સમક્ષ આવી રહ્યા છીએ. આપ સૌ શિક્ષણ ઉત્કર્ષ માટે સાથ - સહકાર આપશો એવી અભ્યર્થના...

આપણી સંસ્થાના સંચાલકો

શ્રી રામજીભાઈ વી. પટેલ

શ્રી રામજીભાઈ વી. પટેલ

પ્રમુખશ્રી

શ્રી વીરજીભાઈ ડી. જુડાલ

શ્રી વીરજીભાઈ ડી. જુડાલ

ઉપપ્રમુખશ્રી

શ્રી કેશરભાઈ પી. પટેલ

શ્રી કેશરભાઈ પી. પટેલ

મહામંત્રીશ્રી

શ્રી રામજીભાઇ ડી. ગોળ

શ્રી રામજીભાઇ ડી. ગોળ

સહમંત્રીશ્રી

શ્રી ફલજીભાઈ એમ. પટેલ

શ્રી ફલજીભાઈ એમ. પટેલ

ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ

શ્રી નાગરભાઈ એચ ચૌધરી

શ્રી નાગરભાઈ એચ ચૌધરી

મંત્રીશ્રી શિક્ષણ સમિતિ

આપણી સંસ્થાના નિયામકશ્રીઓ

શ્રીમતી મીનાબેન વ્યાસ

શ્રીમતી મીનાબેન વ્યાસ

નિયામક શ્રી, પ્રાથમિક વિભાગ

શ્રી નાનજીભાઈ ખરસાણ

શ્રી નાનજીભાઈ ખરસાણ

નિયામક શ્રી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ

ડૉ. એસ. જી. ચૌહાણ

ડૉ. એસ. જી. ચૌહાણ

નિયામક શ્રી, મહાવિધાલય (કૉલેજ)

અમારી ઓળખ, તમારી સફળતા

અમારા ટ્રસ્ટનો હેતુ માત્ર શિક્ષણ પૂરું પાડવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી તેમને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા પ્રેરિત કરવાનો છે. સાત દાયકા થી વધુ સમયથી અમે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના બાળકો માટે નવી તકો સર્જી રહ્યા છીએ.

સ્પષ્ટ વિઝન અને મિશન

વિશ્વ કક્ષાનું શિક્ષણ, સંશોધન અને જ્ઞાનના ઉપયોગ માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ. વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ જીવનશૈલી તરફ દોરી રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન કરાવવું.

સમૃદ્ધ ઇતિહાસ

સન 1954 થી સમાજના અગ્રણીઓના સહકારથી બોર્ડિંગથી લઈને આધુનિક કેમ્પસ સુધીનો સફર, જેમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ. અને નર્સિંગ જેવી ઉચ્ચ શેક્ષણિક સંસ્થાઓ સફળતાપૂર્વક કાર્યરત છે

આધુનિક કેમ્પસ સુવિધાઓ

સુસજ્જ લાઇબ્રેરી, આધુનિક લેબોરેટરી, કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય, વ્યાયામશાળા, તથા નવી ટેકનોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરે છે.

apply-image
માહિતી માટે સંપર્ક કરો +9112345 67890
apply-image

વિદ્યાર્થીઓની યાદગાર ક્ષણો

પ્રેરણાદાયક અને સાચા અનુભવો

આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે મને શિક્ષકોની માર્ગદર્શન સાથે સાચી શિસ્ત અને મૂલ્યો શીખવા મળ્યા. અહીંનું વાતાવરણ મારા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ રહ્યું.

testimonial-image

કિરણ પટેલ

પૂર્વ વિદ્યાર્થી

હું ગામડાથી આવીને અહીં ભણ્યો અને છાત્રાલયની સુવિધા મળી. એના કારણે મારા શિક્ષણમાં ક્યારેય અવરોધ આવ્યો નથી. આ સંસ્થાએ મને મારા સપના પૂરાં કરવા માટેનો રસ્તો બતાવ્યો.

testimonial-image

રોશનીબેન દેસાઈ

વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થી

આદર્શ વિદ્યા સંકુલમાં શિક્ષણ સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ઉત્તમ આયોજન થાય છે. આ કારણે હું આત્મવિશ્વાસથી ભરેલો છું અને ભવિષ્ય માટે તૈયાર છું.

testimonial-image

હિમાંશુ જોષી

હાલનો વિદ્યાર્થી

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યા સંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨-૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

અમારું દ્રષ્ટિકોણ

ટ્રસ્ટનું વિઝન અને મિશન

શિક્ષણના ક્ષેત્રમાં અમારા લક્ષ્યો અને સપનાઓ

વિઝન

🎯 ટ્રસ્ટનું વિઝન

જીલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેળવણી મંડળની સંસ્થામાં શિક્ષણના નવા પ્રવાહોનો સમાવેશ કરીને આ સામાજિક જરૂરીયાતને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.

શિક્ષણ, સંશોધન અને જ્ઞાનના ઉપયોગ માટે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા પૂરી પાડવી.

મિશન

🚀 ટ્રસ્ટનું મિશન

અસરકારક શિક્ષણનું વાતાવરણ પૂરૂં પાડી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો, સ્વસ્થ પડકારો અને સ્પર્ધાઓ માટે પ્રેરીત કરવા.

વિદ્યાર્થીઓ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને.

તૈયાર છો આ સફરમાં જોડાવા માટે?

અમારી સાથે જોડાઓ અને તમારા સપનાઓને સાકાર કરો

📚
🎓