શ્રી દાનસંગભાઈ ફતાભાઈ જુડાલ અલ્પાહાર ગૃહ
Established 2007

શ્રી દાનસંગભાઈ ફતાભાઈ જુડાલ અલ્પાહાર ગૃહ

Donor Information
Donor

શ્રી દાનસંગભાઈ ફતાભાઈ જુડાલ

શ્રી દાનસંગભાઈ ફતાભાઈ જુડાલ (ચૌધરી ચા વાળા) મુ. ટાકરવાડા, તા. પાલનપુરના વતની હતા. તેઓ તપોનિષ્ઠ અને કરુણાના મૂર્તિ સમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમને ત્રણ પુત્રો છે: ૧. ભૂપેન્દ્રભાઈ, ૨. વિરજીભાઈ અને ૩. હરિભાઈ, જેઓ આજે વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોની સાથે સામાજિક અને સંસ્થાકીય સેવા કાર્યોમાં પણ સક્રિયપણે જોડાયેલા છે.

About This Infrastructure

આદર્શ વિધાસંકુલના વિદ્યાર્થીઓને શુદ્ધ, પૌષ્ટિક અને ઘર જેવો સાત્વિક આહાર મળી રહે તેવા શુભ આશયથી આ અલ્પાહારગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં સ્વચ્છતા અને પોષણના ધોરણોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. વર્તમાન સમયમાં આ સુવિધાને વધુ આધુનિક બનાવી, વિદ્યાર્થીઓ માટે 'હેલ્ધી ડાયેટ પ્લાન' મુજબના મેનૂ તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની ઉંમર અને તેમની શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહી પોષકતત્વોથી ભરપૂર નાસ્તા અને ભોજન પીરસવામાં આવે છે, જેથી તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વધુ એકાગ્રતા અને સ્ફૂર્તિ અનુભવી શકે.