શ્રી સરદારભાઈ હેમરાજભાઈ પટેલનો જન્મ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે થયો હતો. દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેઓ વર્ષ ૧૯૭૦માં હીરાના વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયા. પોતાની મહેનત અને લગનથી સફળતા મેળવ્યા બાદ, સમાજસેવાની ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસ્થાને ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો હતો. વ્યવસાયિક જીવનમાં વિદેશ પ્રવાસ ખેડનાર અને સંસ્થાના કાયમી ટ્રસ્ટી તરીકે સેવા આપનાર શ્રી સરદારભાઈ હાલ પોતાના વતનમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.