જગાણા (તા. પાલનપુર) ના રહેવાસી અને પરમ શ્રદ્ધાળુ શ્રી હેમરાજભાઈ ડુંગરભાઈ ચૌધરીએ તેમના ધર્મપત્ની શ્રીમતી મુળીબેનના સ્મરણાર્થે સંસ્થાના વિકાસમાં અમૂલ્ય સહયોગ આપ્યો છે. આ ઉમદા યોગદાન થકી સંસ્થામાં 'કુળદેવી ભવન' અને 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ શક્ય બન્યું છે. સ્વાધ્યાય કાર્યમાં સમર્પિત એવું હેમરાજભાઈનું સાદગીપૂર્ણ અને સેવાભાવી જીવન સૌ કોઈ માટે કાયમ પ્રેરણાદાયક બની રહેશે.