શ્રી ચેલાભાઈ રતુભાઈ કાથરોટિયા વિદ્યાર્થી ભુવન કુમાર છાત્રાલય-૨
Established 2005

શ્રી ચેલાભાઈ રતુભાઈ કાથરોટિયા વિદ્યાર્થી ભુવન કુમાર છાત્રાલય-૨

Donor Information
Donor

શ્રી ચેલાભાઈ રતુભાઈ કાથરોટિયા

પાલનપુર તાલુકાના પટોસણ ગામના સુપુત્ર, સ્વ. શ્રી ચેલાભાઈ રતુભાઈ કાથરોટીયાનું જીવન પરોપકાર અને સેવાભાવનાનું જીવંત પ્રતીક હતું. તેમના આ ઉમદા વારસાને આગળ વધારતા, તેમના પરિવારજનોના ઉદાર આર્થિક સહયોગથી આ આધુનિક વિદ્યાર્થી ભવનનું નિર્માણ શક્ય બન્યું છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાંત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના ઉમદા આશયથી આ ભવન તૈયાર કરવામાં આવ્યું છે,

About This Infrastructure

સંકુલમાં વિજ્ઞાનપ્રવાહ શરૂ કરવામાં આવેલ કુમાર છાત્રાલય-૧ માં ધોરણ-૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ નિવાસ કરતા હતા. પરંતુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને વાતાવરણ અનુકૂળ ન મળતું હોવાથી બહાર રૂમ ભાડે લઈ રહેવાનું પસંદ કરતા. આ વાત સંસ્થાને ધ્યાને આવતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અલગ છાત્રાલય બનાવવાનું મંડળે નક્કી કર્યું. ૨૦૦૩-૦૪ માં કારોબારી અને સાધારણ સભામાં સર્વાનુમતે મંજૂરી મળતા ૨૦૦૫ માં સ્વ. ચેલાભાઈ રતુભાઈ કાથરોટિયા નામે ૫૫ રૂમો ધરાવતું નવીન છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. માત્ર એક જ વર્ષમાં છાત્રાલય-૨ બિલ્ડીંગનું કામ પૂર્ણ થતા જૂન-૨૦૦૬ થી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાં આવ્યો.
આમ દરેક રૂમમાં ૪ વિદ્યાર્થી મુજબ આજે ૨૧૬ વિદ્યાર્થી નિવાસ કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી સમાજમાં નામભેર સ્થાન પ્રાપ્ત કરેલ છે.