શ્રીમતી મંગુબેન ચેલાભાઈ કાથરોટીયા, જેઓ પટોસણ (તા. પાલનપુર) ના રહેવાસી છે, તેઓ મુખ્યદાતા શ્રી ગિરીશભાઈના મોટાભાઈ સ્વ. ચેલાભાઈના ધર્મપત્ની છે. તેમનો સ્વભાવ અત્યંત ઋજુ અને સરળ છે, અને તેમના રગેરગમાં પરગજુપણાની ભાવના વણાયેલી છે. આ ઉમદા ગુણોને કારણે જ તેઓ આદર્શ વિદ્યાસંકુલમાં 'કુમાર ભોજનાલય' ના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે.