નિસ્તારા પી. પટેલ સેન્ટ્રલ લાઈબ્રેરી
Established 2001

નિસ્તારા પી. પટેલ સેન્ટ્રલ લાઈબ્રેરી

Donor Information
Donor

શ્રીમતી નિસ્તારા પી. પટેલ

સ્વ. નિસ્તારાબેન પી. પટેલ, જેઓ મૂળ યુ.એસ.એ.ના વતની હતાં, તેઓ શ્રી ગિરીશભાઈ રતુભાઈ કાથરોટીયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. નિસ્તારાબેને ૩૦ વર્ષ શિક્ષિકા તરીકે સેવા આપી હતી. પોતાના સુખી પરિવાર સાથે રહેતા સ્વ. નિસ્તારાબેને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને સેન્ટ્રલ લાયબ્રેરીને દાન આપવાનો ઉમદા વિચાર કર્યો હતો.

About This Infrastructure

વર્ષ ૨૦૦૧થી કાર્યરત આ લાયબ્રેરીનું હાલમાં જ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ગંભીર વાચકો માટે એક અનુકૂળ અને શાંત વાતાવરણ પૂરું પાડવાનો છે. અહીં સ્થાપિત નવીન સુવિધાઓ આજના સમયના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
​પુસ્તકાલય માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ તે જ્ઞાનની સાધનાનું કેન્દ્ર છે. શાળા કે મહાવિદ્યાલયો કરતાં પણ વિશેષ એવું આ ગ્રંથાલય વિદ્યાર્થીઓને તેમના મનગમતા વિષયો પર મુક્તપણે અભ્યાસ કરવાની તક આપે છે. શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળના માર્ગદર્શન હેઠળ આ લાયબ્રેરીના નિર્માણ અને વિકાસથી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.